ઈશ્વર આજે મનમાં ઘણાં મુસ્કુરાયા છે.
રચના કરી માણસની મનમાં એ મૂંઝાયા છે
કેટલા સ્વાર્થી બને છે કાળા માથા ના માનવી
સ્વાર્થ પૂરો થતાં તો ઈશ બદલાઈ જાય છે
શું કહેવું મારે આજે પ્રભુ પણ મનમાં હરખાયા છે
કળયુગ નો રંગ જોઈને તો ક્ષણે ક્ષણ પસ્તાયા છે
ઈશ્વર આજે મનમાં ઘણા મુસ્કુરાયા છે
No comments:
Post a Comment